ભાદરવી
પુનમ ગુજરાતભરમાંથી હજારો યાત્રાળુઓ દર વર્ષે પગપાળા અંબાજી જતાં હોય છે.
આ પગપાળા યાત્રાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ થતાં હોય છે. આગામી
ભાદરવી પુનમ વખતે યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્રારા " માં અંબા" ના
પ્રવિત્રધામ અંબાજી ખાતે પગપાળા આવતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનુ આયોજન
કરવાનો વિચાર કરેલ છે. પગપાળા આવતા યાત્રાળુઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ,
લીંબુ શરબત, ઠંડુ પાણી, આરામ કરવા માટેની વ્યવસ્થા તેમજ સવારે ચા અને
નાસ્તો, ન્હાવા માટે ગરમ પાણીની વિગેરે સગવડો ધરાવતો સેવા કેમ્પ મહેસાણા
જિલ્લાના વિસનગર-ખેરાલુ- અંબાજી માર્ગ પર નુ આયોજન કરવાનો વિચાર કરેલ છે.
યુવા ક્ષત્રિય ઠાકોર સમાજ